Kangana Ranaut: બોલીવુડ અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રનૌત હાલ પોતાની પોલિટિકલ ડ્રામા ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું તે જોરશોરથી પ્રમોશન કરી રહી છે. જો કે આ પ્રમોશન દરમિયાન તેણે એવી એક વાત કરી દીધી છે જે સૌથી વધુ ચર્ચામાં છે. ફિલ્મ પ્રમોશન દરમિયાન કંગનાએ નેપોટિઝમ પર વાત કરી હતી અને રણબીર કપૂરની, તેની ફિલ્મ એનિમલની અને આલિયા ભટ્ટની આલોચના કરી હતી. સાથે જ તેણે એક શોકીંગ ખુલાસો પણ કર્યો હતો. આ પણ વાંચો: કલ્કી 2898 એડી જોયા પછી યુઝર્સે પણ પ્રભાસને કહ્યો 'જોકર', અરશદ વારસીને કર્યો સપોર્ટ કંગનાએ તેના એક ઈંટરવ્યુમાં એવું કહ્યું હતું કે રણબીર કપૂર ઈચ્છતો હતો કે કંગના તેની સાથે ફિલ્મ સંજુમાં કામ કરે. પરંતુ કંગનાએ સંજુ ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. મહત્વનું છે કે વર્ષ 2018 માં આવેલી રાજકુમાર હિરાનીની ફિલ્મમાં અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા અને સોનમ કપૂર જોવા મળી હતી. આ ત્રણમાંથી કયા પાત્ર માટે કંગનાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તે તેણે જણાવ્યું નહીં. રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી. આ પણ વાંચો: Shraddha Kapoor: બીચ હાઉસથી લઈને લક્ઝરી કારની માલિક છે શ્રદ્ધા કપૂર, જાણો નેટવર્થ કંગનાએ સંજુ ફિલ્મ માટે એમ પણ કહ્યું હતું કે, રણબીર કપૂર પોતે કંગનાના ઘરે ગયો હતો અને કંગનાને રિક્વેસ્ટ કરી હતી કે તે સંજુમાં રોલ કરે. પરંતુ તેણે રણબીર કપૂરની ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. સાથે જ કંગનાએ એવું પણ કહ્યું હતું કે માત્ર રણબીરની જ નહીં તે બોલીવુડના સુપરસ્ટાર ગણાતા ત્રણેય ખાનની ફિલ્મો પણ ઠુકરાવી ચુકી છે. કારણ કે તેમની ફિલ્મમાં મહિલાઓ માટે ખાસ રોલ હોતા નથી. આ પણ વાંચો: કરણ જોહરની વેબ સીરીઝ કોલ મી બે નું ટ્રેલર મચાવી રહ્યું છે ધૂમ, તમે જોયું કે નહીં ? કંગના રનૌત સતત વિવાદમાં અને ચર્ચામાં રહેતી અભિનેત્રી છે. ટુંક સમયમાં તેની પોલિટિકલ ડ્રામા ફિલ્મ ઈમરજન્સી રિલીઝ થવાની છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેકશન કંગના રનૌતે કર્યું છે. આ ફિલ્મમાં તે પૂર્વ મહિલા પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અનુપમ ખેર, જયપ્રકાશ નારાયણ, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી સહિતના કલાકારો જોવા મળશે. આ પહેલા કંગના ગત વર્ષે આવેલી ફિલ્મ તેજસમાં જોવા મળી હતી. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
વડોદરામાં પૂર આવ્યું! વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘૂસ્યા, અડધું શહેર પાણીમાં
August 27, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- August 26, 2024
-
- August 26, 2024
-
- August 26, 2024
Featured News
Latest From This Week
ગુજરાત પર મોટી આફત! આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે પૂર, મુખ્યમંત્રીને દિલ્હીથી આવ્યો ફોન
GUJARATI
- by Sarkai Info
- August 26, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.