ઢાકાઃ હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી ગઈ છે. વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને હવે સેના વચગાળાની સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. જો સેના સરકાર બનાવશે તો દેશની કમાન સેનાના હાથમાં આવશે. શેખ હસીનાના રાજીનામા બાદ આર્મી ચીફ વકાર ઉઝ જમાને પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓને કહ્યું કે અમે તમારી માંગણીઓ પૂરી કરશું. તમે લોકો અમારી સાથે આવો તો અમે પરિસ્થિતિ બદલી નાખીશું. મારપીટ, અરાજકતા અને સંઘર્ષથી દૂર રહો. સાથે જ આર્મી ચીફે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવશે. બાંગ્લાદેશમાં બળવા પછી આર્મી શાસન લાદવામાં આવે છે, તો આર્મી ચીફ પાસે સમગ્ર દેશની કમાન હશે. હાલમાં વકાર ઉઝ ઝમાન દેશના આર્મી ચીફ છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો... કોણ છે વકાર ઉઝ જમાન? લેફ્ટનન્ટ જનરલ વકાર ઉઝ ઝમાનને તાજેતરમાં બઢતી આપવામાં આવી હતી અને આર્મી જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 11 જૂન 2024 ના રોજ આર્મી સ્ટાફના વડા તરીકે ચૂંટાયા હતા અને 23 જૂન 2024 ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. તેમને 23 જૂનથી આગામી ત્રણ વર્ષ માટે આર્મી ચીફ બનાવવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ 1 જાન્યુઆરી 2024થી ચીફ ઓફ જનરલ સ્ટાફ હતા. આ પણ વાંચોઃ બાંગ્લાદેશનો કસાઈ જેણે એક જ રાતમાં 7 હજાર લોકોની કરી હતી હત્યા, જાણો કોણ છે તે જેમને જનરલ એસએમ સૈફુદ્દીન અહેમદનું સ્થાન લીધું હતું. વર્ષ 1985માં તેમની ઇન્ફન્ટ્રી કોર્પ્સ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આર્મી ચીફ બનતા સુધી અનેક હોદ્દા પર સેવા આપી છે. આ પહેલાં ઈન્ફન્ટ્રી બટાલિયન અને ઈન્ફન્ટ્રી ડિવિઝનની કમાન પણ સંભાળી હતી. તેઓ બાંગ્લાદેશ ડિફેન્સ સર્વિસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ અને જોઈન્ટ સર્વિસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ, યુનાઈટેડ કિંગડમના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આર્મી હેડક્વાર્ટરમાં મિલિટરી સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. તેમણે Sarahnaz Kamalika Zaman સાથે લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રીઓ છે, Samiha Raisa Zaman અને Shayeera Ibnat Zaman. આ પહેલીવાર થયું નથી.. તમને જણાવી દઈએ કે વર્ષ 1975માં પણ સેનાએ બળવો કર્યો હતો. તે સમયે સેનાએ મુજીબ સરકારને ઉથલાવી દીધી હતી અને તે પછી 1990 સુધી 15 વર્ષ સુધી દેશ સેનાના નિયંત્રણમાં હતો. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ આર્મી 145 દેશોમાંથી વિશ્વની 37મી સૌથી શક્તિશાળી સેના છે. સેનામાં લગભગ 175,000 સક્રિય સૈનિકો છે અને સરકાર સંરક્ષણ પાછળ $3.8 બિલિયન ખર્ચે છે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
વડોદરામાં પૂર આવ્યું! વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘૂસ્યા, અડધું શહેર પાણીમાં
August 27, 2024What’s New
Spotlight
Today’s Hot
-
- August 26, 2024
-
- August 26, 2024
-
- August 26, 2024
Featured News
Latest From This Week
ગુજરાત પર મોટી આફત! આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે પૂર, મુખ્યમંત્રીને દિલ્હીથી આવ્યો ફોન
GUJARATI
- by Sarkai Info
- August 26, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.