ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ આવતી કાલથી એટલે કે 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. સિડની ટેસ્ટના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના એક જવાબથી હડકંપ મચાવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ગૌતમ ગંભીરને એવો સવાલ પૂછવામાં આવ્યો કે શું કેપ્ટન રોહિત શર્મા સિડનીમાં પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમશે કે નહીં તો તેના પર હેડ કોચે જવાબ આપતા કહ્યું કે કાલે અમે વિકેટને જોયા બાદ જ અમારી પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરીશું. ગૌતમ ગંભીરનો ચોંકાવનારો ખુલાસો સિડની ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ કોચ ગૌતમ ગંભીર સામેલ થયા. સામાન્ય રીતે મેચની પૂર્વ સંધ્યાએ વાતચીત માટે કેપ્ટન સામે આવતા હોય છે. જ્યારે કોચ ગૌતમ ગંભીરને પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, બધુ ઠીક છે અને પ્રેસ કોન્ફરન્સમાં હેડ કોચની હાજરી માત્ર પૂરતી હોવી જોઈએ. બહાર થશે રોહિત શર્મા? ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને લઈને હજુ પણ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. દરેક જણ એ જાણવા માટે ઉત્સુક છે કે શું કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમશે. કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા અંગે મોટું અપડેટ આપ્યું છે. ગૌતમ ગંભીરે કહ્યું કે રોહિત સાથે બધુ ઠીક છે અને મને નથી લાગતું કે પ્રેસ કોન્ફરન્સમાં તેમનું ન હોવું એ કોઈ ચર્ચાનો મુદ્દો છે. હેડ કોચ અહીં છે અને તે પૂરતું હોવું જોઈએ. અમે કાલે વિકેટને જોઈશું અને પછી અમારી પ્લેઈંગ ઈલેવન પસંદ કરીશું. ડ્રેસિંગ રૂમમાં તણાવ પર બોલ્યા ગંભીર હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે ડ્રેસિંગ રૂમની ચર્ચા જાહેર થવી જોઈએ નહીં અને તેમણે ખેલાડીઓ સાથે ઈમાનદારીથી વાતચીત કરી કારણ કે પ્રદર્શન જ તેમને ટીમમાં રાખી શકે છે. ડ્રેસિંગ રૂમમાં તણાવના રિપોર્ટ વચ્ચે ગૌતમ ગંભીરે કહ્યું કે તે ફક્ત રિપોર્ટ છે. સત્ય નહીં. ગૌતમ ગંભીરે કહ્યું કે જ્યાં સુધી ઈમાનદાર લોકો ડ્રેસિંગ રમમાં છે, ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથોમાં છે. તમને એક જ વસ્તુ ડ્રેસિંગ રૂમમાં રાખી શકે છે અને તે છે તમારું પ્રદર્શન. ઈમાનદારીથી કહેવાયેલી વાત અને ઈમાનદારી મહત્વપૂર્ણ છે. ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે તેમણે સીનિયર બેટર્સ વિરાટ ખેલાડી અને કેપ્ટન રોહિત શર્મા જોડે ટેસ્ટ મેચ જીતવાની રણનીતિ સિવાય કોઈ વાત કરી નથી. આકાશદીપ નહીં રમે ગંભીરે કહ્યું કે દરેક ખેલાડીને ખબર છે કે તેણે ક્યાં સુધારો કરવાનો છે. અમે તેમને એક જ વાત કરી છે કે ટેસ્ટ મેચ કેવી રીતે જીતવાની છે. ગૌતમ ગંભીરે એ પણ પુષ્ટિ કરી કે ફાસ્ટ બોલર આકાશદીપ કમરમાં સમસ્યાને કારણે અંતિમ ટેસ્ટ મેચ રમશે નહીં. જો કે તેમણે વિકલ્પનો ખુલાસો ન કર્યો. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None
Popular Tags:
Share This Post:
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
- by Sarkai Info
- January 7, 2025
Earthquake: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં અનેક વિસ્તારોમાં જોરદાર ઝટકા મહેસૂસ થયા
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
-
- January 6, 2025
-
- January 6, 2025
-
- January 6, 2025
Featured News
Latest From This Week
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો નવો સંગ્રામ
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
GUJARATI
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.