NEWS

સાગા મોટા ભાઈએ જ નાના ભાઈને પતાવી દીધો, હત્યાનું કારણ જાણી પોલીસ ચકરાવે ચડી

લગ્ન જેવી બાબતે મોટા ભાઈએ કરી સગા નાના ભાઈની જાહેરમાં હત્યા, સુરતનો ચોકાવનારો કિસ્સો સુરત : ઉધનાના બીઆરસી મંદિર પાસે આવેલ પ્રભુ નગર નજીક જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. જાહેરમાં હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઉધના પોલીસે ઘટના સ્થળે જઈ જોતા એક યુવક મૃત અવસ્થામાં પડ્યો હતો જે અનુસંધાને મૃતકને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને વધુ પૂછપરછ આજુબાજુના લોકો સાથે કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે મરણ જનારનું નામ રઘુ પાત્રા છે અને તેના સગા મોટાભાઈ રવિ પાત્રાએ તેની હત્યા કરી છે. ક્ષણભર માટે તો પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી કે મોટો ભાઈ નાના ભાઈને હત્યા કઈ રીતે કરી શકે? ત્યારે તેના પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવારે જે કાંઈ જણાવ્યું પોલીસ પણ તે તમામ બાબત જાણીને ચોંકી ઉઠી હતી. મૃતકના પરિવારે જણાવ્યું હતું કે તેમનો મોટો દીકરો રવિ પાત્રા જેણે નવ વર્ષ પહેલાં તેની પત્નીની હત્યા કરી નાખી હતી અને આ સંદર્ભમાં તેને જેલવાસ પણ ભોગવેલો છે. આજરોજ તેમનો નાનો દીકરો રઘુ તેની માતાને જમવાનું બનાવવાનું કહેતા માતા અને નાના પુત્ર વચ્ચે રકઝક થઈ હતી. જે રકઝકમાં મોટા પુત્રએ લડવાની ના પાડી હતી ત્યારે નાના પુત્રએ કહ્યું કે ‘‘આ અમારા મા દીકરાનો ઝઘડો છે તો તું વચ્ચે કેમ બોલે છે.’’ તેટલું સાંભળ્યા બાદ મોટો પુત્ર રવિ બહાર નીકળી ગયો હતો અને થોડીક ક્ષણો બાદ નાનો પુત્ર પણ ઘરની બહાર નીકળતા પ્રભુ નગર નજીક મોટા પુત્ર રવિએ તેના સગા નાના ભાઈ રઘુને ચપ્પુના ઘા ઝીંકી જાનથી મારી નાખ્યું હતું. આ પણ વાંચો : સુરત: ‘હું એક ભાભી લાવ્યો છું, તારે આવું હોય તો આવી જા’, મિત્રએ મિત્રને ભેરવી દીધો! આટલી નાની વાતમાં આટલો મોટો કદમ કોઈ કઈ રીતે ઉઠાવે તે પોલીસના મગજમાં ઉતરતું ન હતું. ત્યારે પરિવારને વિશ્વાસમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરતા ખબર પડી હતી કે મોટા પુત્રે જ્યારે તેની પત્નીની હત્યા કરી નાખી અને જેલવાસ ભોગવીને જ્યારે તે આવ્યો હતો ત્યારે નાના દીકરાના લગ્નની તૈયારીઓ શરૂ કરી હતી. નાના દીકરા રઘુ પાત્રાની બે મહિના બાદ દિવાળીમાં લગ્ન હતા અને આ લગ્નને લઈને વારંવાર મોટા પુત્ર અને અમારા પરિવારમાં વિવાદ ચાલતો હતો. મોટા પુત્રનું કહેવું હતું કે “પહેલા મારા લગ્ન કરાવો પછી જ આના લગ્ન કરાવો.” ત્યારે પરિવારે કહ્યું હતું કે “તારા લગ્ન તો કરાવ્યા હતા, પરંતુ તે જ તારા પત્નીની હત્યા કરી નાખી તો તારા લીધે નાનો દીકરો ક્યાર સુધી લગ્નની રાહ જોશે? તો હવે નાના દીકરાના લગ્ન કરાવવા જ પડશે.” આ તમામ બાબતોને લઈ છેલ્લા કેટલાય દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. અંતે નાનો દીકરો વરઘોડો લઈને પહોંચે તે પહેલા જ મોટાભાઈએ તેના નાના ભાઈને સ્મશાન ઘાટ પહોંચાડી દીધો હતો. આ તમામ બાબતોની ફરિયાદ લઈ હાલ ઉધના પોલીસ આરોપી રવિ પાત્રાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.