NEWS

Gupt Daan: તમારી સાથે પરિવારને પણ થશે જબરદસ્ત લાભ, બસ ગુપ્ત રીતે કરો આ 6 વસ્તુનું દાન; મળશે બધા સુખ

દાનથી મોટું ગુપ્તદાન હિન્દુ ધર્મમાં દાન-દક્ષિણાનું વધુ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘણા વ્રત અને પૂજા દક્ષિણા વગર અધૂરા માનવામાં આવે છે. દાન કરવાથી તમને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે પરંતુ, શું તમે જાણો છો કે દાનથી મોટું ગુપ્તદાન છે. એવું દાન જેને માત્ર ઈશ્વર જુવે છે અને આ જ કારણ છે કે તમને આ દાનથી જબરદસ્ત ફાયદા થાય છે. આ આર્ટિકલમાં ભોપાલના જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવી રહ્યા છે કે કઈ 6 એવી વસ્તુઓના ગુપ્તદાનથી બ્રહ્માંડીય લાભની પ્રાપ્તિ કરી શકો છો. કઈ છે આ વસ્તુ? તો ચાલો જાણીએ આ અંગે. માચીસ જો તમારી કુંડળીમાં મંગળ કમજોર છે અને જીવનમાં આત્મવિશ્વાસની કમી છે તો તમે મંગળવારના દિવસે કોઈ મંદિરમાં માચીસનું ગુપ્તદાન કરો. એવું કરવાથી તમને જરૂર લાભ થશે. દીપદાન તમે દીપદાન અંગે ગણું સાંભળ્યું, વાંચ્યું અને જોયું પણ હશે. સારું ફોકસ, સ્પષ્ટ દ્રષ્ટી માટે તમે કોઈ પણ મંદિરમાં દીપદાન કરો. તમને જબરદસ્ત લાભ થશે. મીઠાનું દાન મીઠું સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જો તમે મંદિર અથવા ગુરુદ્વારાના લંગર (ભંડારા)માં મીઠું દાન કરો છો, તો તમે તમારા અને તમારા પરિવારના સભ્યો માટે સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકો છો. આ પણ વાંચો: Guru Vakri 2024: દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ચાલશે ઊલટી ચાલ, 2025 સુધી આ રાશિઓ પર વરસાવશે ખાસ કૃપા છત્રીનું દાન તમે મંદિરોમાં છત્રીઓ જોઈ હશે, તેને સુરક્ષાનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે તેનું ગુપ્ત (સોનું, ચાંદી, પિત્તળ, ફૂલો, કોઈપણ સામગ્રી) દાન કરશો તો તમારો પરિવાર હંમેશા સુરક્ષિત રહેશે. ધ્વજ તમે મંદિર પર લટકતો ધ્વજ જોયો હશે પરંતુ જો તમે તેને ગુપ્ત રીતે દાન કરો છો તો તેનાથી તમને રાજકીય અને સરકારી લાભ મળે છે. આ ઉપરાંત, તે ખ્યાતિ પણ લાવે છે. આ પણ વાંચો: Mangal Gochar: આજથી શરુ થશે આ રાશિઓના ‘અચ્છે દિન’, 20 ઓક્ટોબર સુધી આ રાશિઓને મળશે બધા સુખ આસન તમે આધ્યાત્મિક અને ધાર્મિક સ્થળોએ ‘આસન’ (ગાદીવાળું આસન) જોયું હશે પરંતુ ભાગ્યે જ તમે જાણતા હશો કે તેનું ગુપ્ત દાન તમારા જીવનમાં આરામ લાવશે અને દરેકનું ધ્યાન તમારા તરફ વધશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.