NEWS

Aaj Nu Panchang: 27 જુલાઈનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત, તિથિ અને શુભ-અશુભ ચોઘડિયાં

આજનું પંચાગ Aaj Nu Panchang: આજે ગુજરાત પંચાંગ પ્રમાણે આજે અષાઢ વદ છઠ છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે જુલાઈ મહિનાની 27 તારીખ અને શનિવાર છે. લોકો કોઈ પણ શુભ કામ કરતા પહેલા ચોઘડિયું એટલે કે સારું મૂહૂર્ત જોતા હોય છે. આજના તિથિ, વાર, ચોઘડિયાં સહિતની માહિતી મેળવીએ. આજની તિથિ: અષાઢ વદ સાતમ, વિક્રમ સંવત: 2080 ઉત્તર ભારતીય તિથિ: શ્રાવણ કૃષ્ણ સપ્તમી , વિક્રમ સંવત: 2081 દિવસના ચોઘડિયા: કાળ,શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ રાત્રિના ચોઘડિયા: લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ તહેવાર - આજના શુભ ચોઘડિયાનો સમય: આજે સવારે 7.49થી 9.28 સુધી શુભ, 12.46થી 14.25 સુધી ચલ, 14.25થી 16.4સુધી લાભ, 1604થી 17.43 સુધી અમૃત, 17.43થી 19.22 સુધી લાભ અને 19.22થી 20.43 સુધી લાભ, 22.04થી 23.25 સુધી શુભ ચોઘડિયું છે. નક્ષત્ર: આજે બપોરે 13.00 સુધી રેવતી ત્યારબાદ અશ્વિની. રાહુકાળ સમય : 9.00 થી 10.30 કરણ: વિષ્ટ આ પણ વાંચો: Weekly Horoscope: તમારા માટે નવી તકોના દ્વાર ખોલશે સપ્તાહ, આ રાશિમાં માટે રહેશે પડકારોથી ભરેલું; સ્વાસ્થ્ય સાચવવું અમદાવાદ શહેરમાં આજે સવારે 6.09 વાગ્યે સૂર્ય ઉદય થશે અને 19.22 વાગ્યે અસ્ત થશે. સુરત શહેરમાં આજે સવારે 6.12 વાગ્યે સૂર્ય ઉદય અને 19.18 વાગ્યે અસ્ત થશે. આજે જન્મેલા બાળકોના નામની રાશિ: આજે બપોરે 13.00 સુધી જન્મેલા બાળકનું નામ મીન(દ, ચ, ઝ, થ) રાશિ અને ત્યારબાદ જન્મેલા બાળકનું નામ મેષ (અ,લ,ઈ) પરથી રહેશે. ચોઘડિયાંનો સમય સામાન્ય રીતે ચોઘડિયાંનો સમય આશરે દોઢ કલાક એટલે કે 90 મિનિટ હોય છે. ચોઘડિયાં સવાર અને રાત્રિ એમ બે પ્રકારના હોય છે. સવારના ચોઘડિયાંનો સમય સવારે છ વાગ્યે અને સાંજના ચોઘડિયાંનો સમય સાંજે છ વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે સૂર્યોદય સાથે સવારના ચોઘડિયાંની શરૂઆત થાય છે અને સૂર્યાસ્ત પછી રાત્રિના ચોઘડિયાંની શરૂઆત થાય છે. તમે જોયું હશે કે દરેક કેલેન્ડરમાં સૂર્ય કેટલા વાગ્યે ઊગશે અને કેટલા વાગ્યે અસ્ત થશે તેની વિગત આપવામાં આવે છે. એ પાછળનું કારણ પણ આ જ છે. આ પણ વાંચો: Horoscope 27 July: મેષ રાશિના લોકોએ સાવચેત રહેવું, વૃષભ, મિથુન અને કર્કના જાતકોનું વિવાહિત જીવન સારું રહેશે ચોઘડિયાંના પ્રકાર ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે. જેમાં શુભ, અશુભ અને મધ્યમ ચોઘડિયાંનો સમાવેશ થાય છે. શુભ ચોઘડિયાં : શુભ, અમૃત, લાભ, અશુભ ચોઘડિયાં: ઉદ્વેગ, કાળ, રોગ મધ્યમ ચોઘડિયું: ચલ ચોઘડિયાં કેવી રીતે જોવા? દરેક વારનો એક સ્વામી હોય છે, અને જે તે વારનાં ચોઘડિયાની શરૂઆત નક્કી જ હોય છે. દા.ત. દરેક સોમવારે પ્રથમ ચોઘડિયું અમૃત જ હોય છે. એવી રીતે મંગળવારે પ્રથમ ચોઘડિયું રોગ જ હોય છે. ચોઘડિયું - વાર ઉદ્વેગ - રવિવાર અમૃત - સોમવાર રોગ - મંગળવાર લાભ - બુધવાર શુભ - ગુરુવાર ચલ - શુક્રવાર કાળ - શનિવાર None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.