કાનખજૂરો કરડે તો કરો આ ઉપાય Insect Bites Treatment: વરસાદની સિઝનમાં ઘરની બહાર પાણી ભરાવાને કારણે અનેક પ્રકારના જીવજંતુઓ ઘરમાં ઘુસવા લાગે છે. કિચનમાં, બાથરૂમમાં, ટોઇલેટમાં અને ઘરના આંગણામાં સૌથી વધારે તો કાનખજૂરા આવવા લાગે છે. કિચન સિંક, ગટર અથવા ઘરની બહારના નાળામાંથી તેઓ સરળતાથી ઘરમાં ક્યારે ઘૂસી જાય છે તેનો તમને ખ્યાલ પણ નથી આવતો. રસોડાના સિંક, વૉશ બેસિન, ટોઇલેટ, બાથરૂમની ગટર ભરાઈ જાય તો કાનખજૂરા (Centipede) માટે ઘરમાં ઘુસવું સરળ બને છે. એવું નથી કે તેઓ માત્ર વરસાદની સિઝનમાં જ ઘરોમાં ફરતા જોવા મળે છે, પરંતુ તેઓ ઉનાળામાં પણ દેખાય છે. જો તે ભૂલથી પણ તમારા હાથ, પગ અથવા સ્કિન પર તમને કરડી જાય તો પણ સ્કિન લાલ થઈ શકે છે. ખંજવાળ આવી શકે છે. કેટલાક લોકોના કાનમાં કાનખજૂપા ઘુસી જવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જો તમને અથવા તમારા બાળકને ક્યારેય કાનખજૂરો (kankhajura) કરડે અને તમારા પગ, ગરદન અથવા હાથ પર ચોંટી જાય, તો જાણો કે તરત જ તમારે શું કરવું જોઈએ. કાનખજૂરો કરડવાના લક્ષણો જો તમને ક્યાંક કાનખજૂરો કરડ્યો હોય અથવા તે તમારા પગ અથવા તમારા શરીરના કોઈપણ ભાગમાં ચોંટી ગયો હોય, તો તમને ખંજવાળ આવી શકે છે. સ્કિન લાલ થઈ શકે છે. બળતરા, દુખાવો, ઘા કે ફોલ્લીઓ થઈ શકે છે. જો તે કાનમાં ઘુસી જાય તો ખૂબ જ દુખાવો, ઇન્ફેક્શન થઈ શકે છે. કાનમાં કાનખજૂરો ઘુસી જાય તો તેને હળવાશથી ન લેવું જોઈએ અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ નહીં તો તે તમારા જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ પણ વાંચો : કબજિયાતની સમસ્યાને જડમૂળથી ગાયબ કરી દેશે આ ફળની મલાઇ, આંતરડામાં જામેલી ગંદકીનો પણ રાતોરાત કરશે સફાયો કાનખજૂરો કરડે તો કરો આ ઉપાય - વરસાદની સિઝનમાં તમારા ઘરની અંદરના વૉશ બેસિન અને બાથરૂમની સફાઈનું ધ્યાન રાખો. ગટરને ભરાવા ન થવા દો. ઘણી વખત રસોડામાં અથવા સિંકમાં પણ પાઈપોમાંથી કાનખજૂરા આવે છે. આવી સ્થિતિમાં તેઓ વાસણોમાં પણ ઘુસી જાય છે. વાસણો સાફ કરતી વખતે સાવચેત રહો નહીંતર તે તમારા હાથમાં ચોંટી જાય છે. તે તમને કરડી પણ શકે છે. - રાત્રે ઘરની અંદર કે બહાર અને પાર્કમાં જમીન પર સૂવાનું ટાળો. કાનમાં રૂ નાખો જેથી તે ઘુસી ન શકે. તમે તમારા કાનને ચાદર અથવા રૂમાલથી ઢાંકીને પણ સૂઈ શકો છો. જો તે કાનમાં ઘુસી જાય તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાનમાં ઇન્ફેક્શન અને તીવ્ર દુખાવો થઈ શકે છે. જો તમને લાગે કે તમારા કાનમાં કાનખજૂરો ઘુસી ગયો છે, તો જરા પણ રાહ ન જુઓ અને હોસ્પિટલ દોડો. તેને કાનમાંથી બહાર કાઢવા માટે જાતે કોઈ ઘરગથ્થુ ઉપાય અજમાવો નહીં. - જો તમને કાનખજૂરો કરડે, તો તરત જ શરીરના તે ભાગને ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી દુખાવો કે ખંજવાળ નહીં આવે. ત્યાં બેકિંગ સોડા અને એપલ સીડર વિનેગર લગાવીને પણ તમે ખંજવાળ અને બળતરાથી રાહત મેળવી શકો છો. - જો તમને બળતરા કે ખંજવાળ આવતી હોય તો ઠંડો શેક કરો. બરફનો ટુકડો કપડામાં બાંધીને જ્યાં કાનખજૂરો કરડી ગયો હોય અથવા ચોંટી ગયો હોય ત્યાં થોડીવાર રાખો. - જો ઘરમાં એલોવેરાનો છોડ હોય તો તેનું જેલ કાઢીને તરત જ લગાવો. આનાથી ઠંડક લાગશે. આ એક નેચરલ એન્ટિસેપ્ટિક દવા છે, જે કાનખજૂરો કરડવાથી થતા નુકસાનને ઘટાડી શકે છે. આ પણ વાંચો: Diabetes: શરીરમાંથી એક્સ્ટ્રા સુગર ચૂસી લેશે સાવ મફતમાં મળતા આ નાના-નાના પાન, ડાયાબિટીસના દર્દીઓ માટે સંજીવની - તુલસીના પાનને પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીરના તે ભાગ પર લગાવો જ્યાં કાનખજૂરો કરડ્યો હોય. બળતરા અને ખંજવાળની સંભાવના ઓછી થઈ શકે છે. - જો તમને ઘણી તકલીફ થઈ રહી હોય તો તરત જ ડૉક્ટર પાસે જવું વધુ સારું છે. કોઈપણ દવા જાતે ખરીદશો નહીં કે તેનું સેવન કરશો નહીં. એલર્જીના કિસ્સામાં, એક્સપર્ટની સલાહ લેવી તે મુજબની છે. નોંધ- કાનખજૂરાની કેટલીક પ્રજાતિઓ ઝેરી હોય છે. આવી સ્થિતિમાં શરીરમાં ઝેર પણ ફેલાઈ શકે છે. આનાથી દુખાવો, નબળાઈ, થાક અને ગંભીર સ્થિતિમાં બોડીમાં ઓક્સિજનની પ્રક્રિયા ધીમી થવાને કારણે ખેંચાણ પણ આવી શકે છે. આવી સ્થિતિમાં, ઝડપથી સારવાર લેવી વધુ સારી રહેશે. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
-
- August 27, 2024
-
- August 27, 2024
-
- August 27, 2024
Featured News
Latest From This Week
સુરતમાં ડબલ મર્ડરની ઘટના, પતિએ પેરોલ પર જેલમાંથી છૂટી પત્ની અને પ્રેમીની કરી હત્યા
NEWS
- by Sarkai Info
- August 26, 2024
સાગા મોટા ભાઈએ જ નાના ભાઈને પતાવી દીધો, હત્યાનું કારણ જાણી પોલીસ ચકરાવે ચડી
NEWS
- by Sarkai Info
- August 26, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.