Image Source : X Asha sharma passes away: મનોરંજન જગતમાંથી આ દિવસોમાં દિવસેને દિવસે દુખદ સમાચાર આવતા રહે છે. આ વચ્ચે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ‘કુમકુમ ભાગ્ય’ ની ફેમસ ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી આશા શર્માનું નિધન થયુ છે. સિરીયલમાં દાદીની ભૂમિકાથી લોકોનાં દિલમાં રાજ કરવા લાગ્યા હતા. જો કે આ નિધનનાં સમાચારથી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટો ઝાટકો લાગ્યો છે. આશા શર્માની ઓમ રાઉતની આદિપુરુષ ફિલ્મમાં પણ એક નાની ભૂમિકા જોવા મળી હતી જેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન લીડ રોલમાં હતા. જો કે આ વાતથી બોલિવૂડ જગતમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે. આ પણ વાંચો: કેન્સરની સારવાર વચ્ચે હિના ખાને મનાયો જશ્ન, બર્થડે સેલિબ્રેશનનો VIDEO થયો વાયરલ લોકપ્રિય ટીવી અને ફિલ્મ અભિનેત્રી આશા શર્માનું રવિવારનાં રોજ એટલે કે 25 ઓગસ્ટે નિધન થયુ છે. લાંબા સમયથી ચાલી રહેલાં ડેલી શો કુમકુમ ભાગ્યમાં એની ભૂમિકા માટે જાણીતાં હતા. ફેમસ ટીવી અભિનેત્રી આશાનાં નિધનની ખબર આજે CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન) એ એમનાં ઓફિશિયલ એક્સ હેન્ડલ પર શેર કરી છે. આશા શર્મા ટેલિવિઝન અને ફિલ્મ જગતનું એ નામ છે જે સાંભળતાં એમનો સ્માઇલ આપતો ચહેરો લોકોની આંખો સામે આવી જાય છે. #cintaa expresses its condolences on the demise of Asha Sharma #condolence #restinpeace @poonamdhillon @dparasherdp @itsupasanasingh @HemantPandeyJi_ @ImPuneetIssar @rishimukesh @bolbedibol @iyashpalsharma @SahilaChaddha @actormanojjoshi @RealVinduSingh @HetalPa45080733 @ljsdc pic.twitter.com/RihVuk7I5g CINTAA એ આશા શર્માનાં પરિવારનાં લોકોને સંવેદના વ્યક્ત કરતાં એક ટ્વિટ કરી છે. આ ટ્વિટ 25 ઓગસ્ટ 2024નાં રોજ બપોરે 3:01 વાગે પોસ્ટ કરી હતી. એમને લખ્યું છે કે, ‘#cintaa આશા શર્માનાં નિધન પર એની સંવેદના વ્યક્ત કરે છે. આમ, તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં એમનાં મોતનું કારણ જાણવાં મળી શક્યું નથી. આશાએ ફિલ્મો અને ટેલિવિઝન શો એમ બન્નેમાં મા અને દાદીની ભૂમિકા નિભાવવા માટે જાણીતી હતી. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ દો દિશાએમાં એમની ભૂમિકાનાં ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રેમ ચોપરા, અરુણા ઇરાની અને નિરુપા રોય જેવા અનેક સારા કલાકારો નજરે પડ્યા હતા. આ પણ વાંચો: ‘સ્ત્રી 2’ મુવીએ કરી છપ્પરફાડ કમાણી, 500 કરોડનો આંકડો પાર કર્યો આશા શર્મા મુઝે કુઝ કહેના હૈ, પ્યાર તો હોના હી થા અને હમ તુમ્હારે હૈ સનમ જેવી ફિલ્મોમાં નજરે પડી છે. લાસ્ટમાં પ્રભાર અને કૃતિ સેનની ફિલ્મ આદિપુરુષમાં જોવા મળી હતી. એ કુમકુમ ભાગ્ય, મન કી આવાજ પ્રતિજ્ઞા અને એક ઔર મહાભારત જેવાં ટીવી શોનો હિસ્સો રહી છે. None
Popular Tags:
Share This Post:
What’s New
Spotlight
Today’s Hot
-
- August 27, 2024
-
- August 27, 2024
-
- August 27, 2024
Featured News
Latest From This Week
સુરતમાં ડબલ મર્ડરની ઘટના, પતિએ પેરોલ પર જેલમાંથી છૂટી પત્ની અને પ્રેમીની કરી હત્યા
NEWS
- by Sarkai Info
- August 26, 2024
સાગા મોટા ભાઈએ જ નાના ભાઈને પતાવી દીધો, હત્યાનું કારણ જાણી પોલીસ ચકરાવે ચડી
NEWS
- by Sarkai Info
- August 26, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.