NEWS

ઉનાળું અને ચોમાસું ભીંડાની ખેતીમાં શું છે તફાવત? આવો જાણીએ

ભીંડાની ખેતીના ફાયદા મહેસાણા: મહેસાણા જિલ્લાનું વરવાડા ગામ ભીંડાની ખેતી માટે પ્રખ્યાત છે. ગામના 100 થી 150 જેટલા ખેડૂતો માત્ર ભીંડાની ખેતી વધારે કરતા હોય છે. ગામમાં આશરે 200 વિઘા જેટલી જમીનમાં માત્ર ભીંડાનું વાવેતર દર વર્ષે કરાતું હોય છે. આ ગામના ભીંડા ખાસ કરીને સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં વેચાય છે. આ ગામમાં ખાસ કરીને ઉનાળુ ભીંડા અને ચોમાસામાં થતા ભીંડા, આ બે પ્રકારના ભીંડાનું વાવેતર કરાય છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના વરવાડા ગામના ખેડૂત હર્ષદભાઈ જોઈતારામ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ભીંડાની ખેતી સાથે સંકળાયેલા છે અને ઉંમર હાલ 39 વર્ષ છે. આ ઉપરાંત મરચાની તેમજ બીજા રોકડિયા પાકની ખેતી કરતા હોય છે. ખેડૂતે જણાવ્યું હતું કે, “ઉનાળો ભીંડા અને ચોમાસુ” બંનેની ખેતી કરે છે. અત્યારે એપ્રિલ મહિનામાં ભીંડાની ચોમાસુ ખેતી કરી હતી. ભીંડાની ચોમાસુ ખેતીમાં પ્રતિ વિઘે સવા કિલો જેટલું બિયારણ વપરાય છે. હાઈબ્રિડ બિયારણનું વાવેતર કર્યું છે, જે ડિસેમ્બર મહિના સુધી ઉત્પાદન આપશે. આ હાઈબ્રિડ બિયારણની ખાસિયત એ છે કે તે ખૂબ નજીક નજીક ભીંડા આવે છે, જેના કારણે ખેતરમાંથી સારું ઉત્પાદન લઈ શકાય છે. ચોમાસુ ભીંડામાં આશરે પ્રતિ વિઘે 20 થી 25 ટકા જેટલો ખર્ચો આવતો હોય છે. ખેડૂત પટેલ હર્ષદભાઈ જણાવે છે કે, “વરવાડા ગામમાં ખાસ કરીને ચોમાસું, ઉનાળુ ભીંડા વવાતા હોય છે. ઉનાળો ભીંડા કરતા ચોમાસુ ભીંડા વધારે ઉત્પાદન આપે છે. આ ઉપરાંત તેમાં કોઈ બહારથી ખાતર તેમજ પિયત પણ આપવું પડતું નથી, જેથી ખર્ચમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે. વરસાદી પાણીના કારણે આ ભીંડાનું ગ્રોથ ઉનાળુ ભીંડા કરતાં વધારે હોય છે અને તેમાંથી ઉત્પાદન પણ વધારે મળે છે. પરંતુ આ વર્ષે ભાવ ખૂબ તળિયે જતા રહ્યા હતા. એક સમયે 1 થી 5 રૂપિયે કિલો ભીંડા વેચાતા હતા, જેના કારણે ખેડૂતોને આ વર્ષે નફા ધોરણ ઓછું રહેશે. ગયા વર્ષે ભીંડાના ભાવની વાત કરીએ તો ભીંડાના ભાવ આ વર્ષ કરતાં ઘણા સારા રહ્યા હતા એટલે ગયા વર્ષે પ્રતિ વિઘામાંથી એક લાખથી વધારેની આવક મેળવી હતી.” None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.